![](https://amdavadkhabar.com/wp-content/uploads/2022/07/dqwdqdq-780x420.jpg)
અમદાવાદ શહેરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદમાં જાણીતા રેડિયો જોકી કૃણાલના પિતા ઇશ્વરભાઇ વાલાભાઇ દેસાઇએ રેલવે ટ્રેક પર આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. તેમની પાસેથી સ્યૂસાઇડ નોટ પણ પ્રાપ્ત થઈ હતી. ઇશ્વરભાઇ જનતા નગર રેલવે ક્રોસિંગ પાસેથી મૃત હાલતમાં મળી આવ્યા છે. આ બાબતમાં સોલા પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે.
પ્રાથમિક માહિતી મુજબ, અમદાવાદને મિર્ચી મુર્ગા નામે બધાને હસાવનાર રેડિયો જોકી RJ કૃણાલના પિતા ઈશ્વરભાઈ વાલાભાઈ દેસાઈ દ્વારા રેલવે ટ્રેક પર આત્મહત્યા કરી લેવામાં આવી છે. આ સિવાય તેમના દ્વારા એક સ્યૂસાઇડ નોટ પણ લખવામાં આવી છે. જ્યારે RJ કૃણાલના પિતા આત્મહત્યાની ઘટના સામે આવતા પોલીસની ટીમ ઘટનાસ્થળ પર તાત્કાલિક પહોંચી આવી છે. પોલીસ દ્વારા હાલ અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે.
જ્યારે સોલા હાઈકોર્ટ પોલીસ દ્વારા અકસ્માતે મોત નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા હાલ સૂસાઈડ નોટ જપ્ત કરવામાં આવી છે. આત્મહત્યા અંગે કૃણાલની અગાઉની પત્ની ભૂમિ પંચાલના પરિવારજનો જવાબદાર હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2016 ની 21 જાન્યુઆરીથી આર જે કૃણાલની પ્રથમ પત્ની ભૂમિ દેસાઈ દ્વારા આનંદનગરના 100 ફૂટ રોડ ઉપર આવેલા સચિન ટાવરના એચ બ્લોકના દસમા માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી લેવામાં આવી હતી.
ભૂમિ દ્વારા આત્મહત્યા કરતા પહેલા તેના મિત્ર મિતેષ સોનીને SMS કરવામાં આવ્યો હતો. BBA નો અભ્યાસ કરેલી અને ખાનગી કંપનીમાં મેનેજરના હોદ્દા ઉપર નોકરી કરી ચૂકેલી ભૂમિ દ્વારા માત્ર બે મહિનાના લગ્નગાળામાં આત્મહત્યા કેમ કરી લેવામાં આવી હતી તે પણ એક સવાલ છે.
પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા જાણકારી સામે આવી હતી કે, એક વર્ષ અગાઉ સંપર્કમાં આવ્યા બાદ પ્રેમસંબંધ બંધાતાં પરિવારની સંમતિથી તા. 24-11-2015 ના રોજ ભૂમિ દ્વારા કૃણાલ સાથે લગ્ન કરવામાં આવ્યા હતા. લગ્નના બે મહિનામાં પતિ-પત્ની વચ્ચે અણબનાવ બનતા ભૂમિ દ્વારા આત્મહત્યા કરી લેવામાં આવી હોવાની જાણકારી સામે આવી હતી.