India

પ્રેમપ્રકરણમાં અડચણરૂપ બની રહ્યો હતો પતિ, પછી વીજ કરંટથી દર્દનાક મોત આપ્યું

ઉત્તર પ્રદેશના બદાઉન જિલ્લામાં એક મહિલાએ તેના પતિને વીજ કરંટથી દર્દનાક મોત આપી દીધા. મહિલાનું અન્ય પુરુષ સાથે અફેર હતું અને તેનો પતિ તેને આમ કરવાથી રોકતો હતો. મહિલાની તેના પતિને વીજ કરંટથી હત્યા કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અધિક્ષક (ગ્રામીણ વિસ્તાર) સિદ્ધાર્થ વર્માએ જણાવ્યું હતું કે ઈસ્લામનગરના મોહાલીમાં રહેતા 30 વર્ષીય શરીફનું રવિવારે બપોરે લગભગ 1 વાગ્યે શંકાસ્પદ સંજોગોમાં વીજ કરંટથી મૃત્યુ થયું હતું. તેમણે કહ્યું કે શરીફના પરિવારના સભ્યોએ તેમની પત્ની શબનમ પર હત્યાનો આરોપ લગાવ્યો છે.

વર્માના જણાવ્યા અનુસાર, જ્યારે શબનમની કસ્ટડીમાં પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે શરીફને વીજ કરંટથી માર્યાની કબૂલાત કરી હતી. વર્માના જણાવ્યા અનુસાર શબનમે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તેના લગ્ન 11 વર્ષ પહેલા થયા હતા અને ત્યારથી તેનો પતિ રોજ મારતો હતો, મારઝુડ કરતો હતો અને તેના પાત્ર પર આંગળી ચીંધતો હતો. વર્માના જણાવ્યા મુજબ, શબનમે કહ્યું કે તેણે મોડી રાત્રે તેના પતિને ભોજનમાં ઊંઘની ગોળીઓ ભેળવીને ખવડાવી અને બેભાન થયા બાદ તેને વીજ કરંટથી મારી નાખ્યો.

વર્માના કહેવા પ્રમાણે, શબનમે પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે ગુનો કર્યા પછી તેણે અવાજ કરીને પરિવારના સભ્યોને ભેગા કર્યા અને કહ્યું કે શરીફની હત્યા કોઈએ કરી છે. અધિકારીએ જણાવ્યું કે, મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે.

તે જ સમયે, આવો જ એક દર્દનાક કિસ્સો ગઈ કાલે અયોધ્યાથી પ્રકાશમાં આવ્યો. અહીંના ભૂઆપુર ગામમાં હનુમાન મંદિર પરિસરમાં એક યુવકનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. ગળું કાપેલી હાલતમાં એક વ્યક્તિની લાશ મળી આવતા મંદિર પરિસરમાં ચકચાર મચી ગઈ હતી. મૃતક યુવક યુપીના અમેઠીનો રહેવાસી હોવાનું કહેવાય છે, જે ક્યારેક મંદિરમાં સૂવા માટે આવતો હતો.

અયોધ્યાના એસએસપી એસ પાંડેએ જણાવ્યું કે 35 વર્ષીય પંકજ શુક્લાનો મૃતદેહ કુમારગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના મંદિર પરિસરમાંથી મળ્યો હતો. પાંડેએ કહ્યું કે આ મામલો મંદિર સાથે સંબંધિત નથી. એસએસપીએ જણાવ્યું કે હત્યાની એક રાત પહેલા હુમલાની માહિતી મળતાં, મૃતક પંકજના પિતરાઈ ભાઈ ગુલ્લુ મિશ્રાની ધરપકડ કરવામાં આવી છે અને હત્યાનું હથિયાર એક કુહાડી પણ મળી આવી છે.

Back to top button